સામાજિક વિજ્ઞાન ધો. 10  

પાઠ ભારતનો  સાહિત્યિક વારસો


EBOOK


પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો.

 
·         પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. તેના બે ભાગ છે 1 વૈદિક સાહિત્ય 2 પ્રશિષ્ટ સાહિત્ય.
·         પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આજે પણ ઉકેલી શકાઈ નથી.
·         મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરશાસ્ત્રી હતા, તેમને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી.
·         સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે. આજે પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે.
·         સંસ્કૃત ભાષા મુખત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, અને વિજ્ઞાનની ભાષા હતી.
·         વેદ નો અર્થ જ્ઞાન થાય છે, ચાર વેદ 1 ઋગ્વેદ 2 સામવેદ 3 યજુર્વેદ 4 અથર્વવેદ
·         ભારતીય સાહિત્યનુ પ્રાચીન પુસ્તક ઋગ્વેદ છે, એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે, તે 10 ભાગમાં વહેચાયેલ છે.  સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે.
·         યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
·         અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
·         ઉપનીષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે.
·         વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણગ્રંથમાં સમાવેશ થાય છે.
·         આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્યમાં જઈને ગાળતા, વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપુર એવા સાહિત્યને ‘આરણ્યકો’ કહે છે.  
·         ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત.
·         મહાભારતમાં લગભગ એક લાખ શ્ર્લોક છે.તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
·         મહાભારતમાં ‘શ્રીમદ ભગવદ્ ગીતા’ માં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
·         રામાયણ અને મહાભારતના પ્રભાવથી ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય થયું છે.
·         કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.
·         પ્રારંભિક બોદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ ત્રણ ભાગમાં સુત્ત પિટક,વિનય પિટક, અભિધમ્મ પિટક વહેચાયેલું છે માટે ત્રિપિટક તરીકે ઓળખાય છે.
·         ગુપ્તયુગને સંસ્કૃત કાવ્ય અને નાટકનાં વિકાસનો સુવર્ણયુગ કહેવાય છે, જેમાં કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. 
 

કાલિદાસનાં નાટકો

કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાનશાકુંતલમ 

બાણભટ્ટ

હર્ષચરિત, કાદમ્બરી

ભવભૂતિ

ઉત્તરરામચરિત

ભારવિ

કિરાતાર્જુનીયમ

વિશાખદત્ત

મુદ્રારાક્ષસ

શુદ્રક

મૃચ્છકટીકમ

દંડી

દશકુમારચરીતમ 


 
·         જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું.
·         તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ ચાર દ્રવિડ ભાષાઓમાં સૌથી જૂની તમિલ ભાષા છે.
·         સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ ‘એતુથોકઈ’, ‘તોલાકાપ્પિયમ,’ ‘પથ્થુપાતુ’.
·         કવિ તિરરુવલ્લુવરે ‘કુરલ’ વિખ્યાત ગ્રંથની રચના કરી.
·         શીલપ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે.
·        મધ્યકાલીન સાહિત્ય
·         મધ્યકાલીન સમયના સૌથી મહાન સાહિત્યકાર અમીર ખુશરો ગણાય    છે.
·         અમીર ખુશરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો.
·         અમીર ખુશરો હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાસી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા હતા.
·         જૈનુંલઅબિદિનના આશ્રયે કાશ્મીરમાં ‘મહાભારત’ અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
·         વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેરાય તેલુગુ અને સંસ્કુતના લેખક હતા.  
·         ઔરંગઝેબ સિદ્ધહસ્ત અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફર ઉર્દુ કવિ હતો.
·         અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદગીતા અને પંચતંત્ર જેવા ગ્રન્થોના અનુવાદ કરવા એક અલગ ખાતાની સ્થાપના કરી હતી.
·         મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે.
 

સોમદેવ

કથાસરિતસાગર

કલ્હન

રાજતરંગિણી

ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ

કાશ્મીરનો ઈતિહાસ

જયદેવ

ગીત ગોવિંદ

ચંદબદરાઈ

પૃથ્વીરાજ રાસો

શંકરાચાર્ય

ભાષ્ય

કવિ પંપા

આદિપુરાણ

કવિ પોન્ના

શાંતિપુરાણ

રન્ના

અજીતનાથ પુરાણ

કવિ કમ્બલે તામિલ ભાષામાં

રામાયણમ

હિન્દી ભાષાના બે સ્વરૂપો

વ્રજ અને ખડીબોલી

અવધી ભાષાનો સૌથી જુનો ગ્રંથ મુલ્લા દાઉદ

ચન્દ્રાયન

દિલ્લીના સુલ્તાનોની રાજભાષા

ફારસી

ઝિયાઉદ્દીન બરની

તારીખે ફિરોજ્શાહી અને ફતવા-એ-જહાંદારી

અમીર ખુશરોનાં ગુરુ

હઝરત નિઝામુદ્દીન ઓલિયા

અમીર ખુશરો

આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ-સદાયન

ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો

અમીર ખુશરો

દિલ્લીની આજુબાજુ બોલવામાં આવતી ભાષા

હિંદવી

કબીરની રચનાઓ મુખ્યત્વે

સધુકડી લોકબોલીમાં છે.

માલિક મુહમ્મદ જયસીએ, અવધી ભાષામાં

પદ્માવત મહાકાવ્ય

તુલસીદાસ દ્વારા, અવધી ભાષામાં

રામચરિતમાનસ

કૃતીવાસે દ્વારા, બંગાળીમાં

રામાયણ

કૃષ્ણદેવ રાય

આમુક્તમાલ્યદા

બાબરની તુર્કી ભાષામાં આત્મકથા

‘તઝુકે-બાબરી’ જે ફારસી બાબરનામા છે.

ગુલબદન બેગમે

હુમાયુનામા

જહાંગીરે પોતાની આત્મકથા

તઝુકે-જહાંગીરી

અબુલ ફઝલ

આઈને-અકબરી , અકબરનામા

મુહમદ હુસેન આઝાદ

દરબારે અકબરી


 
o   ભારતની પ્રાચીન વિદ્યાપીઠો
 
o   નાલંદા
·         બિહારના પટણા જીલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે.
·         મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું.
·         નાલંદામાંથી ભણીને નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.
·         યુઅન-સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયો હતો.
·         અહી સાત મોટાખંડો વ્યાખ્યાન માટે ત્રણસો ખંડો હતા.
·         ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો. 
o   તક્ષશિલા
·         વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. 
·         અહી 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું.
·         ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહી આયુર્વેદના પાઠો શીખ્યા.
·         દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતનાં પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે.
·         કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણશાસ્ત્રી પાણિનિ અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય તથા ચંદ્રગુપ્ત મોર્યએ પણ અહી શિક્ષણ લીધું હોવાનું મનાય છે.
·         પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.
o   વારાણસી (કાશી)
·         યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈ.સ. પૂર્વે 7 માં સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું.
·         આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નુતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું.
·         સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથમઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો.
o   વલભી
·         ઇસવીસનનાં સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિપ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. જેને બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરીકોનો મોટો ફાળો હતો.
·          7મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા ત્યારે બોદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું.
·         ચીની પ્રવાસી ઈત્સિંગે નોંધ્યું છે કે વલભી પૂર્વભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી.
·         વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું.
·         મૈત્રક વંશના રાજવીઓ બોદ્ધ ન હતા, સનાતન હતા છતાં આ સંસ્થાને મદદ કરતા.
·         વલભી સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.       
 
 
THANK YOU


kids drawing easy